Showing posts with label Surendranagar. Show all posts
Showing posts with label Surendranagar. Show all posts

Friday, 28 May 2021

The once shy and fearful girl is now a confident 10th grader...

Mittal Patel visits Ganga and her family during her
Surendranagar visit
Ganga lives in Surendranagar’s Doodhrej.

The school is a little away from her settlement. The parents remain at work throughout the day. There was no one to bring her to and from the school. But they wanted their daughter to study. However, from the 7th standard Ganga started getting teased and harassed while commuting to school and back. The fear of these anti-social elements resulted in her refusing to go to school. Like all parents,  Ganga’s parents also wanted her to have a better future hence,  they wanted her to continue with her schooling. They shared their dilemma with VSSM’s  Harshadbhai. This is how Ganga reached our hostel in Ahmedabad.

The guidance and mentoring of VSSM’s education team consisting of Dimpleben, Vanita, Kokila ironed away all the academic deficiencies Ganga had when she first arrived at the hostel. Initially, for the fear of being harassed, she hesitated going back to her village.  The once shy and fearful girl is now a confident 10th grader.

“I wish to have a job and build a house of my own when I grow up,” she shares.

The safety a house provides might have made her aspire for one, we wish and pray her aspirations to turn into reality.

“Once the schools reopen, along with Ganga,  I want to send my other two daughters to study at VSSM.” Ganga’s mother had mentioned when I was in Surendranagar recently and decided to visit her.

Such good intents are always welcome…

ગંગા... સુરેન્દ્રનગરના દૂધરેજમાં રહે. 

સાતમાં ધોરણમાં ભણતી એ વેળા એની છેડતીના પ્રશ્નો થવા માંડ્યા. મૂળ એના છાપરાંથી નિશાળ દૂર. મા -બાપ બેય મજૂરી કરે. નિશાળે લેવા મૂકવા જવાનું એ કરી ન શકે. પણ બેઉની લાગણી પોતાની દીકરી ભણે એવી. 

આવામાં ગંગા અસમાજિક તત્વોના ડરથી નિશાળ જવાની ના કહેવા માંડી. પોતે ભણ્યા નથી એટલે આજે દુઃખોનો પાર નથી. દીકરી નહીં ભણે તો એની દશાય પોતાના જેવી..એમણે આ મૂંઝવણ અમારા કાર્યકર હર્ષદને કહી ને ગંગા આવી અમદાવાદ અમારી હોસ્ટેલમાં. 

ભણવામાં નબળી પણ અમારા ડિમ્પલબેન, વનીતા, કોકીલા વગેરેની મહેનતથી ધીમે ધીમે એ બધુ શીખવા માંડી. હાલ દસમુ ધોરણ ભણે. શરૃઆતમાં વેકેશનમાં કોઈ હેરાન કરશે તો એવો ડર એને સતાવતો. પણ હવે એ આત્મવિશ્વાસથી ભરપૂર છે. 

'મોટા થઈ ને નોકરી કરીશ અને પોતાનું પાક્કુ ઘર બનાવીશ' એવું ગંગા કહે. 

ઘર બનાવવાની વાત કદાચ સુરક્ષીત વાતાવરણના પરીપેક્ષમાં એ કરતી હશે.. પણ એની આ ભાવના કુદરત પૂર્ણ કરાવે.

થોડા સમય પહેલાં સુરેન્દ્રનગર જવાનું થયું ત્યારે ગંગાને ખાસ મળવા ગઈ.. એની મા કહે છે, 'આ નિશાળો ખુલે એટલે ગંગા ભેગી મારી બીજી બે દિકરીઓને પણ તમારી પાહે ભણવા મુકી દેવી છે.. 

'આ તો મંગલ વાત વધાવવાની જ હોય ને... 

#MittalPatel #VSSM #education

#educationforall #RightToEducation

#GirlChildren #GirlChildRights

#surendranagar #gujrat #india

Wednesday, 11 May 2016

Janaki realises her true potential…...

Janki with her certificate
Quite, intelligent, diligent and mature beyond her age is how we would describe 11 years old Janaki Nayak. In 2012, 7 years old Janaki arrived at Kalrav Hostel in Doliya along with elder sister Payal.  These small girls  had just lost their mother and the daunting task of raising the family was left on their father Vishnubhai who works as manual laborer.  A shattered Vishnubhai was in no condition either psychologically, physically or financially to take care of his five children; four daughters and one son all between the ages of 10 years to 2 months at the time his wife passed away.  Nonetheless, it was important for him to keep going so that at the end of the day he had money to buy food to feed his children.  A concerned and caring father that he is, Vishnubhai decided not to remarry but raise children with some help from his extended family. Another concern that boggled him was education of his children. These devastated children who were going to school found it hard to cope with the loss of   their mother.  He approached VSSM with a request to enroll his elder two daughters in the Doliya Hostel.

At the time of her enrolment Janaki could hardly  read or write and was under sever trauma. She would frequently wake up in the middle of the night crying for her mother. The team of Kalrav provided her all the necessary care and support and love of a mother. Today, Janaki is a confident 11 year old, studying in 6th grade, excelling in studies as well as co-curricular activities. Since last 2 years Janaki ranks first in her class, recently she went on to win the school elocution competition when she spoke on the subject of ‘Democracy and the Indian Election system.’ Janaki takes initiative of managing various tasks in the hostel and performs her duties well.
 The adversities of life  have made Janaki an extremely mature girl at a very young age. She is aware of the sacrifices her father has made to raise her and the siblings, especially not marrying again (which is very common in their community).  When she grows up she wants make life easy for her father. Janaki desires to peruse medicine when she grows up.
 So what would have become of Janaki had she not come to stay at Kalrav hostel?? Well, she like hundreds of girls of her community would have been married and working as a child labour in any of the farms to supplement her family’s income and feed the large brood!! It is the opportunities created at Kalrav that has enabled Janaki realize her true potential.

vssm સંચાલિત કલરવ હોસ્ટેલ, ડોળીયામાં ભણતી જાનકી વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ

“પપ્પા, મારી મમ્મી ક્યારે આવશે...?” સહજ રીતે માતાની છત્રછાયા ગુમાવી બેઠેલ દીકરી જાનકી દ્વારા અનાયાસે પૂછવામાં આવેલ પ્રશ્ન! વાત છે મહેલજ ગામના વતની નાયક વિષ્ણુભાઈની. પત્ની ચાર-ચાર દીકરીઓ અને એક દીકરાને મુકીને ચાલી ગઈ, અવિરત અનંત પ્રવાસે. પાંચ-પાંચ સંતાનોની જવાબદારી ખભે લઈ વિષ્ણુભાઈ આખો દિવસ ‘દાડ્યું’ કરી ગુજરાન ચલાવે. ઘરે મારાં બાળકો એકલા-અટુલા છે” તેવી દ્વિધામાં હંમેશા રહે.
બાળકો ઘીમે-ધીમે મોટા થવા માંડ્યા, દરેક પિતાની જેમ તેમને તેમના અભ્યાસનો પ્રશ્ન સતાવવા માંડ્યો. તેઓ પણ યુનિફોર્મ પહેરી ઊછળ કૂદ કરતા બાળકોના સપના જોવા માંડ્યા. પરંતુ,એક મજુરી કરતા, ઘર વિહોણા, વિધુર પાંચ બાળકોનાં બાપને તે અધિકાર ક્યાંથી હોય. સરકારે શિક્ષણ એક ‘મૂળભૂત બંધારણીય અધિકાર’ ઘોષિત કર્યું છતા પણ ભણતરમાં પૈસાનો ભાર અનિવાર્ય છે તે વિષ્ણુભાઈ સારી પેઠે જાણતા હતા. તેથી ગામઠી સરકારી નિશાળમાં જાનકીને દાખલ કરી, પણ મન:સ્થિતિ પહેલા જેવી જ, કારણ ત્રીજા ધોરણમાં હોવાં છતાં જાનકીને કક્કાનો ક ન આવડે.
આવા કપરા સંજોગોમાં વિષ્ણુભાઈએ ડોળીયા ગામમાં vssm દ્વારા વિચરતી જાતિનાં બાળકો માટે ચાલતા છાત્રાલય વિશે સાંભળ્યું. આ છાત્રાલયમાં બાળકોને વિનામૂલ્યે ભણાવાય છે તે સાંભળી વિષ્ણુભાઈએ છાત્રાલયની મુલાકાત લીધી. “હે બુન, મારી છોડીને ઓય ભણવા રાખશો?” ડોળીયા કન્યા છાત્રાલયનાં બાલદોસ્ત વંદનાને અભણ બાપે પુછેલ સાહજિક પ્રશ્ન.
સર્વે દ્વારા કુટુંબની પરિસ્થિતિનું આકલન કરી જાનકીને ચોથા ધોરણમાં દાખલ કરવામાં આવી. આમ, વિધિવત્ રીતે શિક્ષાનો પ્રારંભ થયો. જાનકી પ્રથમ વર્ષે છાત્રાલયમાં કક્કાના ક થી જ્ઞ જાણી શીખી. હંમેશા નિયમિત વિદ્યાર્થીની જાનકીએ ધીમે-ધીમે પોતાની પ્રતિભા દેખાડવા માંડી. ભણતરનું એવું તો ઘેલું લાગ્યું કે પાંચમાં ધોરણની વાર્ષિક પરીક્ષામાં નાયક જાનકી વિષ્ણુભાઈ પ્રથમ નંબર લાવી. અત્યારે એના વર્ગમાં એ ‘રેન્કર’ છટ્ઠા ઘોરણમાં અભ્યાસ કરે છે.
આજે જાનકી છાત્રાલય વ્યવસ્થાની ઘણી જવાબદારીઓ સંભાળે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે છાત્રાલયમાં અવારનવાર ઈત્તર પ્રવૃત્તિઓ થતી હોય છે. તેમાં પણ તેણી સક્રિયપણે, રસપૂર્વક ભાગ લે. ૨૫મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ. આ દિવસે શાળામાં યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં હોશભેર જાનકીએ ભાગ લીધો. અને ‘લોકશક્તિ અને ભારતની ચૂંટણી પ્રક્રિયા’ વિષય પર બોલી પ્રથમ ક્રમાંકે આવી. પિતા તરીકે વિષ્ણુભાઈ આજે કહે છે, “આ vssmની નીહાળે મારી છોડીને ખુબ સારી સુવિધા આપી. આજે મારી બે છોડી ને એક છોરો ઓય ભણે સે. હું બીજાને પણ કવ સુ તમારા સોકરાવને ભણવા ઓય મુકો.”
જાનકી જેવાં અનેકોનાં અનેક કોડ ઈશ્વર પૂર્ણ કરે તેવા મનોરથ સાથે, વિષ્ણુભાઈ જેવાં અનેક બાપનાં ૭૦૦ થી વધારે સંતાનોને vssm વિનામૂલ્યે શિક્ષાની સુવિધા પૂરી પાડી રહ્યું છે.
જાનકી પોતાને મળેલાં સર્ટીફીકેટ સાથે..

Monday, 25 May 2015

Education For All - VSSM initiative for Nomadic Communities of Gujarat

Success atlas to VSSM and parent’s  strive to bring a government school in the settlement


Education For All - VSSM For Nomadic Communities of Gujarat
Education for All - School Building at Dudhrej for
Nomadic Communities Children
There is a nomadic settlement  situated 2 kms away from the Dudhrej village of Surendranagar. The settlement consists of families from nomadic communities of Devipujak, Marwari Devipujak Community,Saraniyaa Community, Kangasiyaa Community etc. The settlement has substantial number of children of school going age. To access the nearest government school which is in Dudhrej village the kids have to  walk 2 kms. It is a substantial distance and  the parents  remain hesitant to enrol their kids in this school as Dhangadhara-Surendranagar Highway stands between the settlement and the school, the road accidents in the past have discouraged parents to send their children to school in Dudhrej.  As a remedial measure VSSM initiated a Bridge School in the settlement bringing education to their doorstep. VSSM’s Harshadbhai played a very important role in bringing these children to school and their eventual absorption in the mainstream education system. A system to ferry the children to and from the school was also worked out.  Simultaneously,  efforts to bring a government school to the settlement were also launched by Vicharta Samuday Samarthan Manch -VSSM and persistent efforts did result in sanctioning  of a school in the settlement. However, as it is in India approvals and implementation do not go together, the school never began. We were required to  relaunch our efforts towards getting the school started. This time it began in a makeshift rented structure which could hardly suffice for a proper school, hence the lobbying continued. Finally, the construction has began (as seen in the picture). 
Bridge School By VSSM at Dudhrej For Nomadic Communities Children
Bridge School By VSSM at Dudhrej For Nomadic Communities Children

The parents who normally decide  to keep their mouth shut and never utter a word  before authorities and villagers spoke up in the School Management Committee ( SMC ) just for the benefit of  their children and succeeded in bringing a government school in their settlement and thus answering the never ending inquires of their kids, “when will we have school in our settlement??” 

VSSM’s Harshadbhai has been instrumental in persuading the parents to work towards the benefit of their children….. 

vssm અને વાલીઓની મહેનતથી ઘર આંગણે નિશાળ આવી..
સુરેન્દ્રનગરનાં દૂધરેજમાં મારવાડી દેવીપૂજક, સરાણીયા, દેવીપૂજક, કાંગસિયા વગેરે પરિવારો રહે. વસાહતથી ગામની શાળા બે કી.મી દૂર અને વળી પાછો વચમાં ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે આવે એટલે બાળકોને શાળામાં મૂકતા વાલીઓ ડરે. અકસ્માતના અનુભવો પણ કારણભૂત. બે વર્ષ સુધી આપણે આ વસાહતના બાળકો માટે બાલઘર ચલાવ્યું. (જે ફોટોમાં જોઈ શકાય છે) બાલદોસ્ત હર્ષદની ખૂબ મહેનતથી છોકરાઓ શાળામાં જતા થયા. બાળકોને શાળામાં લેવા-મૂકવાની વ્યવસ્થા ગોઠવી પણ અગત્યનું વસાહતમાં જ શાળા થાય તે હતું. vssmની વારંવારની રજૂઆતના અંતે દૂધરેજ વસાહતમાં જ શાળાની મંજુરી મળી પરંતુ, મુશ્કેલી અમલીકરણની હતી. ખુબ મહેનત પછી કામચલાઉ શાળા એક ભાડાના મકાનમાં શરુ કરી પણ જરૂરિયાત તો એક અલાયદી શાળા થાય એની હતી. ઘણો વખત રાહ જોવાની થઇ. વાંરવારની રજૂઆતના અંતે હવે કામ શરૂ થયું છે. બાળકો સતત પૂછતાં અમારી વસાહતમાં શાળા કેમ નહિ? એ પ્રશ્નનો અંત આવ્યો.. જે ફોટોમાં જોઈ શકાય છે.

વસાહતના લોકો ગામલોકો સાથે વાત કરતાં ડરતાં. પણ બાલદોસ્ત હર્ષદના સતત માર્ગદર્શનથી હવે પોતાના બાળકો માટે SMC (સ્કુલ મેનેજમેન્ટ કમિટી)માં રજૂઆત કરતાં થયા અને પોતે પણ SMCનો હિસ્સો બન્યા અને પોતાનાં બાળકો માટે ઘર આંગણે નિશાળ લાવ્યા..